>
Saturday, May 17, 2025

પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં બજેટ ચર્ચા કાર્યક્રમ યોજાયો

*પોરબંદર ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાની ઉપસ્થિતિમાં બજેટ ચર્ચા કાર્યક્રમ યોજાયો*

———

*વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો નવો ઇતિહાસ રચાઇ રહ્યો છે*: *કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયા*

———

*વિકસિત ભારતના સપનાને સાકાર કરવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, રિસર્ચ અને ઇનોવેશન જરૂરી છે*: *કેન્દ્રીય મંત્રીશ્રી*

 

પોરબંદર, તા.૧:ધી પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા આયોજિત અને જિલ્લા ભાજપ તથા જીઆઈડીસી ઉધોગનગર એસોસિએશન, ધરમપુર અને યુવા ડિસ્ટ્રીક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સહકારથી આયોજિત પોલીસ કોમ્યુનિટી હોલ પોરબંદર ખાતે જિલ્લાના સાંસદ અને

શ્રમ અને રોજગાર યુવા બાબતો અને રમત ગમત મંત્રાલયનાં કેન્દ્રીય મંત્રી શ્રી ડો. મનસુખભાઇ માંડવિયા

બજેટ ચર્ચા કાર્યક્રમમાં સહભાગી થયા હતાં.

 

 

કેન્દ્રીય મંત્રી શ્રી ડો.મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું

લોકોની અમારી પાસેની અપેક્ષાઓ એ અમારી જવાબદારી છે આ વખતે ગુજરાતના બજેટ ભાષણમાં ૧૦ વખત પોરબંદરના નામનો ઉલ્લેખતે ગર્વનો વિષય છે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે દેશના પ્રધાનમંત્રી બન્યા અને પહેલું બજેટ રજૂ થયું ત્યારે તે બજેટનું કદ ૧૮લાખ કરોડ રૂપિયા હતું. અને તેમાં પાછલા દસ વર્ષમોની અંદર 1200 એવી યોજનાઓ અમલ નથી થયો તેવી યોજનાઓનો સામેલ કરીને એક દશકમાં આ યોજનાઓનો અમલ કરવામાં આવ્યો અને દેશનો નવો વિકાસ મેપ પણ તૈયાર થઈ ગયો અને દેશ પણ આગળ વધી ગયો.

 

બજેટ એ એક વર્ષનું પ્લાનિંગ નથી પણ લોંગ ટાઈમનું વિઝન છે

 

વડાપ્રધાનશ્રીએ આખા દેશમાં જીએસટીની અમલવારીથી સરકારની તિજોરીમાં પૈસા આવવાને કારણે ડેવલપમેન્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો થઈ રહ્યાં છે.અને વિકસિત ભારતના વિઝનને પૂરું કરવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ રિસર્ચ અને ઇનોવેશન જરૂરી છે.

 

વધુમાં તેમને કોરોના સમયને યાદ કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતે કોવિડ વેક્સિનનું રિચર્ચ કરીને લોકોને વેક્સિન આપીને સુરક્ષિત કરવામાં આવ્યા છે એટલું જ નહીં ભારતે દુનિયાના દેશોને વેક્સિન આપીને વસુદેવ કુટુંબકમની ભાવનાને ચરિતાર્થ કરી

 

મહિલાઓ પણ રાજકીય ક્ષેત્રે પોતાની ભાગીદારી નોંધાવે તે માટે ૩૩% ટકા અનામત આપીને મહિલાઓને પુરુષો સમોવડી બનાવી છે આગામી ૨૦૨૯ આવનારી ચૂંટણીઓમાં મહિલાઓની 33% સીટો અનામત આવશે અને રાજકીય ક્ષેત્રે મહિલાઓ નેતૃત્વ કરશે.

 

સામાન્ય માણસોના પૈસાની બચત થાય એ બચત નાણાં લોકો તેમની સુખાકારી વધારવા વાપરે તે માટે આ બજેટમાં ૧૨ લાખ સુધીની આવક ટેક્સ ફ્રી કરી છે.

 

દેશના ખેડૂતોને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખેતી કરતો થાય નેચરલ ફાર્મિંગ તરફ દેશ આગળ વધી રહ્યો છે ત્યારે આ બજેટમાં ખેડૂતોની પાક ધિરાણની રકમ વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે. અને ભારત સોશિયલ સિક્યુરિટી આપવામાં પણ અગ્રેસર બની રહ્યું છે. અને તેમણે બજેટને લગતી વિવિધ ચર્ચાઓ કરી હતી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશનો નવો ઇતિહાસ રચાઇ રહ્યો છે તેમ ઉમેર્યું હતું.

 

 

પોરબંદર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડીયાએ પોરબંદર જિલ્લા પાણી ભરવાની સમસ્યા આવે તે માટે સરકારે બજેટમાં ૧૭૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે તેમજ કેન્સર સારવાર માટેની આધુનિક સુવિધાઓ ધરાવતી હોસ્પિટલ માટે પણ જોગવાઈ કરવામાં આવી છે

 

વધુમાં તેમણે દુધાળા પશુઓમાં સારી ઓલાદોની વાછરડીઓનો જન્મ થાય તે માટે આધુનિક ટેકનોજીના સેન્ટરની પોરબંદર જિલ્લામાં સ્થાપના થવાથી સૌરાષ્ટ્રના લોકોને ફાયદો થશે અને પ્રવાસન, લાઇબ્રેરી અને અધતન ભવનો અને પોરબંદરને નવો એક્સપ્રેસ હાઈવે સહિતના કામો માટે જોગવાઈ કરવામાં આવી છે.

બજેટની લગતી ઉપયોગી માહિતી આપવા બદલ શ્રી રામદેવભાઈ મોઢવાડિયા આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર = અલ્કાબેન પંડ્યા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores