ધો.૧૨ સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર વિષયમાં કુલ ૭૫૬૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી
સાબરકાંઠા જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહના સમાજશાસ્ત્ર(૧૩૯) વિષયમાં કુલ ૭૬૮૪ વિધ્યાર્થીઓ પૈકી ૭૫૬૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે ૧૧૮ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.જેમાં કુલ ૭૫૪૪ વિધ્યાર્થીઓએ ગુજરાતી માધ્યમમાં પરીક્ષા આપી હતી. અ.કાવ્યમ(૭૦૨)માં કુલ ૧૩ વિધ્યાર્થીઓ પરીક્ષા આપી હતી.વિજ્ઞાન પ્રવાહના ગણિત(૦૫૦) વિષયમાં કુલ ૫૮૮ વિધ્યાર્થીઓ પૈકી ૫૮૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે બે વિધ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઇ હતી. ધોરણ ૧૦ માં અંગ્રેજી (દ્વિતીયભાષા)૧૬ માં કુલ ૧૯૧૨૦ વિધ્યાર્થીઓ પૈકી ૧૮૩૭૭ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.જ્યારે ૭૪૩ વિધ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. અંગેજી (૫૦૬)માં કુલ ૧૬ વિધ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.એમ જિલ્લા શિક્ષણાધિકારીનીએક અખબારી યાદીમાં જણાવાયુ છે.
અહેવાલ. વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891