>
Friday, May 16, 2025

સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

સાબરકાંઠા જીલ્લા ની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું.

 

એક ભારત ન્યુઝ સાબરકાંઠા

 

સાબરકાંઠા જીલ્લામાં વર્ષ-૨૦૨૫ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતમાં કુલ-૧૦૩૪૭ કેસોનો સમાધાનથી નિકાલ

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, (NALSA) ના આદેશ અનુસાર સમગ્ર ભારતમાં તા.૦૮.૦૩.૨૦૨૫ ના રોજ વર્ષ-૨૦૨૫ની પ્રથમ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેના ભાગરૂપે નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠા જીલ્લાની તમામ અદાલતોમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના અધ્યક્ષશ્રી અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ શ્રી કે.આર.રબારી તથા સચિવ શ્રી પી.કે.ગઢવીની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયુ હતું. જેમાં સાબરકાંઠા જીલ્લામાં હિંમતનગર તથા તાલુકા કોર્ટના બાર એસોસિયેશન, વકીલશ્રીઓ, પક્ષકારો, અદાલતમાં ફરજ બજાવતા કર્મચારી મિત્રો સહભાગી થઈ ને લોકઅદાલત ને સફળ બનાવવામાં પૂરતું યોગદાન આપ્યું.

જેમાં સાબરકાંઠા જીલ્લામાં મોટર અકસ્માત વળતળ ના કેસોમાં કુલ-૩૩ કેસોનો સમાધાનથી નિકાલ કરીને રૂ.૧,૬૦,૮૪,૦૦૦/- નું વળતળ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો. તેમજ જીલ્લામાં કાર્યરત મેજીસ્ટ્રેટશ્રીઓ દ્વારા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ ના એમ કુલ-૭૧૪૧ કેસો, રકમ રૂ.૧૮,૬૦,૩૨,૨૨૧.૬૦ ના કેસોનું સમાધાનથી નિકાલ થયેલ તેમજ ટ્રાફિક ઈ-ચલણ સહિત બેંક લેણાંના કેસો, વીજ બીલ, પાણી બીલ, વીજ ચોરી, રેવન્યુ, જેવા બીજા અન્ય પ્રિ-લિટીગેશન કેસોમાંથી કુલ-૩૨૦૬ કેસો, રકમ રૂ.૧,૦૪,૯૮,૫૮૨.૨૫ ના કેસોનું સુખદ સમાધાનથી નિકાલ કરાયો હતો

 

તસવીર અહેવાલ. . વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores