વડાલી માં રામનવમી ની ભવ્ય શોભાયાત્રા નીકળી
સાબરકાંઠા જિલ્લાના વડાલી નગર ખાતે રામનવમી તહેવાર નિમિત્તે અતિ પ્રાચીન રામજી મંદિર ખાતેથી રામલલાની ભવયાતી ભવ્ય શોભાયાત્રા નીકળી 
ચૈત્ર સુદ નોમ ના દિવસે સમગ્ર વાતાવરણ ભક્તિના માહોલમાં રંગાઈ ગયેલું જોવા મળ્યું હતું
આ શોભાયાત્રા રામજી મંદિરથી પ્રસ્થાન થઈને શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈને જય શ્રી રામના નારા સાથે મંદિરે પરત ફરી હતી 
રામ નવમી ના પર્વ નિમિત્તે વિવિધ હિન્દુ સંગઠનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ સમગ્ર વાતાવરણ જય શ્રી રામ ના નારાથી ગુંજી ઉઠ્યું હતું
રામલલા ની પાલખી યાત્રામાં વડાલી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો હતો

શોભા યાત્રામાં વિવિધ સમાજના સંગઠનો દ્વારા પૂરી યાત્રામાં ઠંડુ પાણી મસાલા છાશ ની વ્યવસ્થા રામભક્તો માટે કરાઈ હતી
રામનવમી ની શોભાયાત્રામાં વિવિધ સંગઠનો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિનીઓ તેમજ હિંદુ સંગઠનો તેમજ નગરના નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
રામનવમી તહેવાર માં શોભાયાત્રા દરમિયાન દુર્ગા વાહિનીઓ દ્વારા વિવિધ કર્તબો હાઇવે પર કર્યા હતા
શોભાયાત્રામાં શહેરમાં ઠેર ઠેર લોકો દ્વારા પાલખી યાત્રાને અબીલ અને ગુલાલ ઉડાડીને તેમજ ફુલ ઉડાડીને રામલલાની પૂજા કરાઈ હતી 
શોભાયાત્રા દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ઠેર ઠેર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયેલો હતો
શોભાયાત્રા સમગ્ર પરિભ્રમણ કરીને મંદિર પહોંચી હતી ત્યારબાદ મંદિરમાં આરતી અને વિશેષ પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ગ્રામજનો એ દર્શન કરી અને પ્રસાદ ગ્રહણ કર્યો હતો
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 145600
Views Today : 