ચાવડા પરિવાર નું ગૌરવ..
ભાવનગર નિવાસી ગુણવંતભાઈ ચાવડા અને હર્ષાબેન ચાવડા વ્યવસાયે દંપતી શિક્ષક છે તેમનો પુત્ર યશ ગુણવંતભાઈ ચાવડા એ ચાલુ વર્ષે લેવાયેલ NEET ની પરીક્ષામાં 720 માંથી 587 ગુણ મેળવેલ છે તેમજ GUJCET માં 120 માંથી 91 ગુણ મેળવી પરિવારનું ગૌરવ વધારેલ છે. કાળિયાબીડ સાગવાડી માં તેઓ રહે છે યશ ચાવડા ડોક્ટર બનવાની ઈચ્છા સાથે આગળ વધી રહ્યા છે.દીકરી ખ્યાતિ ચાવડા પણ બી.એસ.સી./એમ.એસ.સી/ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં તથા ચાલુ વર્ષમાં બી.એડ. O ગ્રેડ સાથે પૂર્ણ કરેલ છે.તેમજ નિધિ ચાવડાએ પણ બી.એસ.સી.કેમેસ્ટ્રી પૂર્ણ કરેલ છે. સમગ્ર ચાવડા પરિવાર અને મકવાણા પરિવારે હર્ષની લાગણી સાથે અભિનંદન પાઠવેલ છે.ખ્યાતિ સારી જોબ કરી પોતાનું કેરિયર મજબૂત કરવા માંગે છે.જ્યારે યશ ચાવડા ડોક્ટર બની પરિવારનું નામ રોશન કરવા માંગે છે.મોચી સમાજ અને શિક્ષક સમાજ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891






Total Users : 158686
Views Today : 