વિધાર્થીઓને પોષણયુક્ત આહાર આપવાના સરકારના દાવા પોકળ
ધરમપુર તાલુકાની શાળાઓમાં વિદ્યાર્થીઓને સડેલાં અનાજમાંથી બનેલો નાસ્તો આપવામા આવે છેઃ
વલસાડ જિલ્લાની આદિવાસી વિસ્તારોની શાળાઓમાં બાળકો ના આરોગ્ય અને જીવ સાથે ચેડા
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
ધરમપુર તાલુકાના મરઘમાળ ગામના પ્રાથમિક શાળામાં બાડકોને સડી ગોયલ ચણા ખવડાવવામાં આવતા ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખ અને સમિતિ દ્વારા ફરિયાદ કરવા મા આવી
ધરમપુર તાલુકાના મરધમાળ ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખ અને સમિતિ દ્વારા કરેલ ફરિયાદ કે શાળામાં બાળકો ને નાસ્તા માં આપવામાં આવતા ચણા સડી ગયેલા હોય અને અંદર જીવજંતુઓ પડી ગયેલા હોય જે બાબતે આજરોજ મરધમાળ અને મોટીઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઇ 160 બાળકોને આપવામાં આવતા ચણા ની તપાસ કરતા એકદમ સડી ગયેલા ચણા હતા શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે, આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવા સડેલા ચણા આપવામાં આવે છે એ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં તાત્કાલિક આ ચણા બીજા મોકલવામાં ન આવ્યા તો આવનાર દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે જેની નોંધ લેવી