>
Friday, May 16, 2025

દીકરી પારકી થાપણ કહેવાય પણ આ જ પારકી થાપણ કુળની ઉજારે છે – શ્રીમદ પૂજ્ય રામજીબાપા.

દીકરી પારકી થાપણ કહેવાય પણ આ જ પારકી થાપણ કુળની ઉજારે છે – શ્રીમદ પૂજ્ય રામજીબાપા.

 

(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)

શ્રી 42 ગોળ આંજણા ચૌધરી પાટીદાર સમાજ ના કૃત્ય સમૂહ લગ્ન ઉત્સવ પ્રસંગે આજે 48 દીકરીઓએ પ્રભુતામાં પગલા પડ્યા હતા જેમાં સમાજના 42 ગ્રામ સહિત આસપાસના સમાજના લોકો ની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ તબક્કે આંજણા ધામના સંયોજક એવા દગાવાડીયા ના કનુભાઈ પટેલ તેમજ દાનવીર ભામાશા ગણાતા ભદ્રેશ્વરના નરસિંહભાઈ દેસાઈ, રઘુભાઈ દેસાઈ સહિત ઈડરના ધારાસભ્ય તેમજ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા સહિત વરુણ કોલ્ડ સ્ટોરેજ ના માલિક પ્રવીણભાઈ પટેલ તેમજ દિનેશભાઈ પટેલ ની વિશેષ ઉપસ્થિત રહી હતી. આ તબક્કે 48 દીકરીઓ એ પ્રભુતામાં પગલાં માંડ્યા છે ત્યારે પૂજ્ય રામજી બાપા ની વિશેષ હાજરી રહી હતી તેમને તમામ દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા સાચો સાથ 42 આંજણા ચૌધરી પાટીદાર ટ્રસ્ટ ઈડર દ્વારા તમામ દીકરીઓને રૂપિયા 51000 ના ચેક સહિત માધવ પરિવાર દ્વારા સોનાની ચુની તેમજ શિલ્ડ આપ્યા હતા આ પ્રસંગે બોલતા શ્રીમદ રામજી બાપાએ જણાવ્યું હતું કે દીકરી એ પારકી થાપણ કહેવાય પણ આ જ પારકી થાપણ કુળની ઉજાળનારી હોય છે. સમાજમાં સમૂહ લગ્ન ઉત્સવ કરાવનાર કોર કમિટી એ આજે સામાજિક સંતોએ કરેલી મુહિમના અનુગ્રહી છે તેમને નાના-મોટા નો ભેદ ભુલાવી સૌને એકરૂપ કરવાનો વિશિષ્ટ પ્રયાસ કર્યો છે ત્યારે આજના તબક્કે આધ્યાત્મિક અને નૈતિક મૂલ્યો ટકાવવાના સૂચન સહિત તમામ દીકરીઓને સાસુ સસરા સેવા કરવા સહિત કૌટુંબિક ભાવ સ્વભાવ અને એકતા ને અનુરૂપ જીવન જીવવાની સલાહ આપી હતી આ તબક્કે તૃતીય સમૂહ લગ્ન ઉત્સવ ની સંપૂર્ણ સફળતાનો શ્રેય કોર કમિટીને આપ્યો હતો.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores