સહરસા એક્સપ્રેસ ટ્રેન બનેલ ધાડના ગુન્હાના આરોપીઓને પકડી પાડતી વલસાડ રેલ્વે પોલીસ.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
ગઇ તા.૧૯/૧/૨૦૨૫ ના રોજ સહરસા એક્સપ્રેસ ટ્રેનમા મધ્યપ્રદેશના ઉમરીયા જીલ્લાના મૂળ રહેવાસી ઓ જેમા રાજેન્દ્રકુમાર, રાજેશકુમાર, અશોકકુમાર, તથા સુનિલકુમાર વગેરે કુલ – ૨૦ જેટલા સભ્યો કે જેઓ વાસદા તાલુકાના ઇટોના ભઠ્ઠામા કામ કરતા હોય, તેમના પરીવારના સભ્ય નુ મૃત્યુ થતા તાત્કાલીક તેમના વતનમા જવા વલસાડ રેલ્વે સ્ટેશનથી સહરસા એક્સપ્રેસ ટ્રેનમા એસ – ૭ ડબામા બેસી જતા હતા તે દરમ્યાન વલસાડ અને બિલીમોરા વચ્ચે ૬ થી ૭ અજાણ્યા આરોપીઓએ આ મધ્યપ્રદેશના પરીવારના સભ્યો સાથે મારા મારી કરી તેઓના પૈસા ઝુટવી લઇ અને તેઓ પાસેના આશરે ૫૦,૦૦૦/- જેટલા રૂપીયા રોકડ ની લુટ કરી ધાડ પાડી અને આ સહરસા એક્સપ્રેસ ટ્રેનમાથી ચાલુ ગાડીએ ટ્રેન ધીમી પડતા બિલીમોરા નજીક ઉતરી ગયેલ હતા.
આ ગુનાની તપાસ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક, સી.આઇ.ડી. ક્રાઇમ અને રેલ્વેઝ, ગાંધીનગર તેમજ શ્રી સરોજકુમારી સાહેબ,નાયબ પોલીસ મહાનિરીક્ષક, પશ્ચિમ રેલ્વે, વડોદરા ના સુચના અને માર્ગદર્શન હેઠળ તેમજ શ્રી ડી.એચ.ગોર સાહેબ નાયબ પોલીસ અધિક્ષક, સુરત રેલ્વે વિભાગના સુપરવિઝન હેઠળ વલસાડ રેલ્વે પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. રવિરાજસિંહ એ.જાડેજા દ્વારા હાથ ધરવામા આવેલ હતી.
આ તપાસ દરમ્યાન આરોપીઓ ગુનો આચરી નાસી છુટેલ હોય તેઓ ને શોધી કાઢવા માટે વલસાડ રેલ્વે પો.સ્ટે. ના પો.સબ ઇન્સ. જાડેજા તેમજ સ્ટાફના હે.કો. મહમદ સાહીન નશરૂદીન તેમજ ભગીરથસિંહ સોલંકી તેમજ પો.કો. પ્રવિણભાઇ સેલાર તેમજ વિનોપુરણ બહાદુર નાઓ દ્વારા સતત સુરત ના ઉધના જીરો નંબર, સંજયનગર, તેમજ લીંબાયત ક્રાંતીનગર વિસ્તારમા ધામા નાખી અને આ ગુનામા સંડોવાયેલ આરોપીઓની સતત તપાસ કરવામા આવેલ હતી. અને આ તપાસ દરમ્યાન 3 આરોપીઓ ને ઝડપી પાડયા હતા.