તાપી જિલ્લા ઉચ્છલ તાલુકામાં પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે સર્વેની કામગીરી સમય સર પૂર્ણ કરવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું.
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી)
ઉચ્છલ તાલુકામાં તલાટી કમ મંત્રીઓની ઘટ હોવાથી 15 ફેબ્રુઆરી પહેલા પુરે પૂરું થવો જોઈએ તે સાથે હજી સુધી થયો જ નથી.
તેથી તાલુકા પંચાયતના અન્ય કર્મચારીઓને સર્વેની કામગીરીમાં એક સાથે જોડી સમય મર્યાદામાં સર્વે પૂર્ણ કરવા રજૂઆત કરવામાં આવી.
જો સર્વે અધૂરો રહી ગયો અને લાભાર્થીઓને લાભ ન મળ્યો તો એની માટે જવાબદાર કોણ??
લોકોના મત લેવા ઘર સુધી ગયેલા નેતાઓ કેમ ગરીબોના કામ ઝડપથી પૂરા કરાવતા જ નથી.