>
Friday, May 16, 2025

ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો શુભેચ્છા તેમજ વિદાય સમારંભ યોજાયો 

ખેડબ્રહ્મા શહેરની જ્યોતિ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓનો શુભેચ્છા તેમજ વિદાય સમારંભ યોજાયો

 

સંતશ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા ધોરણ 10 શુભેચ્છા અને ધોરણ 12 વિદાય તથા તેજસ્વી તારલા પુરસ્કાર વિતરણ સમારોહ શ્રી જ્ઞાનવિહાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ શ્રી રસિકભાઈ કાનજીભાઈ પટેલના વડ પણ હેઠળ યોજાયેલ. આ પ્રસંગે શ્રી પંકજદાસજી મહારાજના વરદ હસ્તે તેજસ્વી બાળકોને ઇનામ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રીશ્રી રાજાભાઈ પટેલ,

કારોબારી સભ્યો શ્રી દિનેશભાઈ પટેલ, શ્રી શાંતિભાઈ પટેલ, જનકભાઈ ઠાકર અને સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. શાળાના સુપરવાઇઝર શ્રી આર.પી. વાલાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી અને પુસ્તક આપી આવકાર્યા હતા. સમારોહ અધ્યક્ષશ્રીએ તેજસ્વી બાળકોને ઇનામ વિતરણ કર્યા હતા. શાળાના આ શૈક્ષણિક સત્ર બાદ શાળામાં લાંબી સર્વિસ આપી અને નિવૃત્ત થઈ રહેલ શ્રી ભવાનસિંહજી વાઘેલા અને યોગીનીબેન ભટ્ટનું સંતશ્રી પંકજદાસ મહારાજ અને શાળાના મંત્રીશ્રી રાજાભાઈ પટેલે સોલ આપી અને શુભકામનાઓ પાઠવી હતી.

વિદાય લઈ રહેલ બાળકો પૈકી ક્રિષા કે. પ્રજાપતિ, મહેક એમ પ્રજાપતિ તથા

સિપાઈ આસિયાબાનુ એ પોતાના પ્રતિભાવો આપ્યા હતા . તથાવિદાય આપી રહેલ બાળકો પૈકી પૂનમ વાઘેલા અને ચૌહાણ સરોજબાએ પોતાની લાગણી વ્યક્ત કરેલ. શાળાના આચાર્યશ્રી સુરેશભાઈ પટેલે સૌ દીકરા દીકરીઓને આગામી પરીક્ષામાં સફળતા મેળવો તેવા આશીર્વાદ આપ્યા હતા.

આભારવિધી શ્રી અજીતસિંહજી દેવડાએ કરેલ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી એસ.પી પટેલે કર્યું હતું.

 

બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores