>
Friday, May 16, 2025

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી કડક કાર્યવાહી. 

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત આટલી કડક કાર્યવાહી. 

પંજાબમાં ઐતિહાસિક ઘટના બની છે. 

 

પંજાબની આમ આદમી પાર્ટીની સરકારે ભ્રષ્ટાચારીઓને પકડવા માટે એન્ટી કરપ્શન બ્યુરોને સખત હાથે કામ લેવાનો આદેશ આપ્યો હોવાથી છેલ્લા એક મહિનામાં એન્ટી કરપ્શન બ્યુરોએ અનેક અધિકારીઓએ લાંચ લેતા પકડીને જેલમાં પુરી દીધા છે. 

 

અચાનક જ અનેક અધિકારીઓ ઉપર રેઈડ પાડવાના કારણે મામલતદારોના સંગઠન દ્વારા એક હડતાલ પાડવામાં આવેલ છે. પંજાબના મામલતદાર એસોસિએશ દ્વારા સામુહિક રજા ઉપર ઉતરી ગયેલ છે. જ્યાં સુધી સરકાર એન્ટી કરપ્શન બ્યુરોને રોકશે નહીં ત્યાં સુધી મામલતદારો વિરોધ કરશે. 

 

આમ આદમી પાર્ટીની સરકારના મુખ્યમંત્રી સરદાર ભગવંત માન સાહેબે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, સામુહિક રજા ઉપર ઉતરેલા તમામ મામલતદારોને શુભેચ્છાઓ. 

 

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સામુહિક રજા ઉપર ઉતરેલા તમામ મામલતદારોની સામે નાયબ મામલતદારોને ઈન્ચાર્જ બનાવીને, પ્રમોશન આપીને કામ ચલાવવામાં આવશે તેમજ વધુ જરૂર પડશે તો શાળાના પ્રિન્સિપાલને મામલતદારનો ચાર્જ આપવામાં આવશે અને મામલતદારોની નવી ભરતી કરવામાં આવશે પરંતુ હડતાળ ઉપર ઉતરેલા મામલતદારો સામે આમ આદમી પાર્ટીની સરકાર સરેન્ડર નહીં થાય.

 

એક વિશેષ બાબત મુખ્યમંત્રીએ એવી પણ જણાવી છે કે, એક વખત સામૂહિક રજા ઉપર ઉતરેલા મામલતદારને ફરીથી સરકારી નોકરીમાં હાજર કરવો કે નહીં? હાજર કરવો તો ક્યા સ્થળે કરવો? શું કામ આપવું? તે તમામ બાબતનો નિર્ણય ઈન્ચાર્જ નાયબ મામલતદારોના હાથમાં રહેશે. 

 

દેશના ઇતિહાસમાં પ્રથમ વખત ભ્રષ્ટાચાર સામે આટલી કડકાઈથી કામગીરી કરવામાં આવતા પંજાબના લોકોમાં આમ આદમી પાર્ટીની સરકારની કાર્યવાહીની પ્રશંસા થઈ રહેલ છે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા 

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores