>
Saturday, June 14, 2025

ગીર સોમનાથ: સિંહની પજવણી બદલ ત્રણ ઈસમોને ₹75,000નો દંડ ફટકાર્યો

ગીર સોમનાથ: સિંહની પજવણી બદલ ત્રણ ઈસમોને ₹75,000નો દંડ ફટકાર્યો

 

ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના હડમતીયા ગીર ગામે સિંહની પજવણી કરવા બદલ વન વિભાગે ત્રણ ઈસમો સામે કડક કાર્યવાહી કરી છે. વત્સલ પટેલ, શૈલેષ આહિર અને વિજય જેઠવા નામના આ ત્રણેય વ્યક્તિઓને ₹75,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમને મુક્ત કરવામાં આવ્યા હતા. આ ઘટનાથી ગેરકાયદેસર સિંહ દર્શન કરતા લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણેય ઈસમો વન વિભાગની નિર્ધારિત બોર્ડર ક્રોસ કરીને સિંહની પજવણી કરી રહ્યા હતા. વન વિભાગને આ અંગે જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ ત્રણેયને અટકાયતમાં લીધા હતા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વન્યજીવોનું રક્ષણ એ વન વિભાગની પ્રાથમિકતા છે અને સિંહ જેવા સંરક્ષિત પ્રાણીઓની પજવણી કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં. વન વિભાગની આ કડક કાર્યવાહી એ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો માટે એક સ્પષ્ટ સંદેશ છે કે આવા કૃત્યો બદલ કડક સજા ભોગવવી પડશે.વન વિભાગે અપીલ કરી છે કે પર્યટકો અને સ્થાનિક લોકો વન્યજીવોના નિવાસસ્થાનનું સન્માન કરે અને નિયમોનું પાલન કરે. ગેરકાયદેસર રીતે સિંહ દર્શન કરવાનો પ્રયાસ ન કરે અને વન્યજીવોને ખલેલ ન પહોંચાડે. આવા કિસ્સાઓમાં વન વિભાગ કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા માટે પ્રતિબદ્ધ છે. આ ઘટના ભવિષ્યમાં આવા બનાવો રોકવામાં મદદ કરશે અને વન્યજીવોના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ વધારશે તેવી આશા છે.

 

રિપોર્ટર ધર્મેશ ચાવડા

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores