હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબીર યોજાઇ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના જામળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ .રાજ સુતરીયા અને તાલુકા હેલ્થ અધિકારીશ્રી ડૉ.રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ તેમજ GMERS હિંમતનગરના સહયોગથી રક્તદાન શિબીર યોજાઈ હતી. આ રક્તદાન શિબીરમાં 52 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જરૂરતમંદોને તાત્કાલિક અને સમયસર લોહી પુરૂ પાડી શકાય તેવા આશયથી આ રક્તદાન શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું
. આ શિબીરમાં PHC સ્ટાફ તથા ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા.
તસવીર અહેવાલ … વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891





Total Users : 167617
Views Today : 