>
Sunday, June 15, 2025

ઉના તાલુકાના દેલવાડા ગામે વાછરડા ની સારવાર 

ઉના તાલુકાના દેલવાડા ગામે વાછરડા ની સારવાર

ઉના તાલુકાના દેલવાડા ગામે થોડા દિવસ પહેલાં ઉના દેલવાડા દિવ નેશનલ હાઇવે રોડ ઉપર તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા ની ઓફીસ માં કૃપા નજીક સિંહ દ્રારા ગંભીર રીતે એક વાછરડા ને ઘાયલ કરવા મા આવેલ જે વાછરડા ને આજરોજ દેલવાડા ગામે આવેલ શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર દ્રારા વધુ સારવાર આપવામાં આવી છે

શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ અને એની ટિમ ને કુમારભાઇ બાંભણિયા એ જાણ કરેલ કે સિંહ દ્રારા ઘાયલ વાછરડા ને વધુ સારવાર ની જરુરીયાત હોય તેથી શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ એ ઉના ના પશુ ડૉક્ટર શ્રી લીંબાણી સાહેબ ને જાણ કરતા પશુ ડૉક્ટર શ્રી લીંબાણી સાહેબ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચ્યા હતા અને વાછરડા ને તપાસ કરતા વાછરડા ના પગ ને ભાગે સિંહ દ્રારા કરવામાં આવેલી ઇજા પર રુઝ આવી ગય હતી અને હવે આ વાછરડા ને પગ મા ફેક્ચર હોય જેથી પ્લાસ્ટર ના પાટા ની ખાસ જરુરીયાત હોય જેથી તાત્કાલિક શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ના કલ્પેશભાઈ બારોટ સહિત ના સેવકો તાત્કાલિક તાલુકા ભાજપ પ્રમુખ હિરેનભાઇ બાંભણિયા ની ઓફીસ માં કૃપા ખાતે પહોંચી ગયા હતા અને વાછરડા ને ઉભો કરી જરુરીયાત મુજબ પ્લાસ્ટર નો પાટો બાંધી જરૂર દવા ઇન્જેક્શન આપવામાં આવેલ તથા માં કૃપા ઓફિસ ના કુમારભાઈ બાંભણિયા દ્રારા આ વાછરડા નુ પગ નુ પ્લાસ્ટર છુટી જાય ત્યાં સુધી વાછરડા ને ઉભો કરવો હેરવવો ફેરવવો તથા દવા ઇન્જેક્શન ની તકેદારી રાખવા ની તૈયારી બતાવી હતી હાલ માં કૃપા ઓફિસ ખાતે આ વાછરડો સલામત રીતે શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર ની સિધી દેખરેખ હેઠળ કુમારભાઇ ની તકેદારી હેઠળ રાખવામાં આવેલ છે

આમ શ્રી રાધે ક્રિષ્ના ગૌ મંદિર અને ગૌ પ્રેમી લોકો દ્રારા એક સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ…… રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores