>
Wednesday, May 13, 2026

સાબરકાંઠાના ખેડબ્રહ્માના યુવાનનું પુસ્તક “અધુરી વિદાય” રાષ્ટ્રીય ફલક પર ચમક્યું

​ સાબરકાંઠાના ખેડબ્રહ્માના યુવાનનું પુસ્તક “અધુરી વિદાય” રાષ્ટ્રીય ફલક પર ચમક્યું

 

પિતાના મૌન સંઘર્ષને મળી સાહિત્યિક વાચા

 

​”મેગેઝીનમાં ૧૨ વર્ષ લેખ લખનાર લેખકની કલમ જ્યારે પિતાના વિરહમાં રડી, ત્યારે સર્જાયું ‘અધૂરી વિદાય’!”

 

​આજ સુધી સાહિત્યમાં ‘મા’ પર ઘણું લખાયું છે, પણ પિતાના મૌન સંઘર્ષ અને એમની છત્રછાયાની કિંમત ત્યારે સમજાય છે જ્યારે એ છાયડો હંમેશ માટે જતો રહે છે. લેખક રણવિજયસિંહ પ્રતાપસિંહ ચૌહાણનું પુસ્તક ‘અધૂરી વિદાય’ એ માત્ર કાગળ પર લખાયેલા શબ્દો નથી, પણ પિતાને ગુમાવ્યા પછી એક દીકરાના હૃદયમાંથી નીકળેલી ચીસ છે.

​પુસ્તકનો મર્મ:

“દુનિયામાં દરેક વસ્તુ ખોવાઈ જાય તો શોધવાથી મળી શકે છે, પણ એકવાર જો પિતા ખોવાઈ જાય, તો આખી જિંદગીની શોધ પણ એમને પાછા લાવી શકતી નથી.” આ પુસ્તક એવા એક આદર્શ શિક્ષક પિતા સ્વ. પ્રતાપસિંહ કિશોરસિંહ ચૌહાણની સત્ય ઘટના છે, જેઓ પોતાની નિવૃત્તિની ક્ષણો ગણતા હતા અને અચાનક કાળનો પંજો તેમને ખેંચી ગયો.

​વાચકો માટે એક પડકાર:

આ પુસ્તક વાંચતી વખતે લેખક દાવો કરે છે કે:

​જો તમારા પિતા હયાત છે, તો આ વાંચીને તમે દોડીને એમને ગળે લગાવી દેશો.

​અને જો તમે પિતાને ગુમાવ્યા છે, તો આ પુસ્તકના દરેક પાને તમે ધ્રુસકે ને ધ્રુસકે રડશો.

​પિતાના બલિદાન, એમનો આજીવન સંઘર્ષ અને એક દીકરાની પિતા માટેની એવી તડપ જે પથ્થર દિલના માણસની આંખમાં પણ પાણી લાવવા મજબૂર કરી દેશે.

 

બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા

 

મો ન 9998340891

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores