કચ્છ કડવા પાટીદાર સમાજના માતૃશ્રી નું હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે કરાયેલું દેહદાન ચક્ષુદાન ..
મનુષ્યનું જીવન અમૂલ્ય હોય છે અને તેમજ જીવન પર કામગીરી કરેલ હોય તે યાદગીરી હોય પરંતુ મૃત્યુ બાદ પણ કોઈકના ઉપયોગી થવાય તે માટે ખેડબ્રહ્મા તાલુકાના શીલવાડ કંપા ના નરસિંહભાઈ મેઘજીભાઈ પટેલના માતૃશ્રી દેવકી બેન નો કુદરતી મૃત્યુ બાદ આજ રોજ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ભારતીય કિસાન સંઘ સાબરકાંઠા જિલ્લા અને કચ્છ કડવા પાટીદાર સમાજ ખેડબ્રહ્મા વડાલી ઈડર વિજયનગર ચાર તાલુકા દ્વારા પ્રેરણાથી સદગત માતૃશ્રીના સુપુત્રો નરસિંહભાઈ અને હરિભાઈ અને નરોત્તમભાઈ તેમજ અમૃત બેન દીકરી સાથે મળીને માતૃશ્રીના શરીરના દેહદાન અને ચક્ષુદાન કરવા માટે ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકાના પૂર્વ મંત્રી દિનેશભાઈ પી પટેલ અને મંત્રી અરવિંદભાઈ એ પટેલ સાથે સંકલન કરી આજરોજ હિંમતનગર મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર ઉમેશ મોડાસિયા પ્રાધ્યાપક અને વડા અને રાકેશભાઈ નાઈ સાથે રહી દેહદાન અને ચક્ષુદાન કરવા બદલ સંપૂર્ણ પરિવાર અને શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના તમામ ભાઈ બહેનો ને આવી ઉમદા કામગીરી બદલ આભાર વ્યક્ત કરેલ હતો અને આગામી દિવસોમાં સંકલ્પ પત્ર ભરવા માટે અનુરોધ કરેલ હતો સમગ્ર કામગીરી માટે સતત સંપર્કમાં રહી માર્ગદર્શન 4 તાલુકા મંત્રીશ્રી દિનેશભાઈ પી પટેલે કરેલ હતું
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


