ખેડબ્રહ્મા પી એસ આઇ આર જે ચૌહાણ નો વિદાય સમારોહ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પોલીસવડા દ્વારા તાજેતરમાં તમામ આઠેય તાલુકાના પી એસ આઇ ની આંતરિક બદલી કરતા ખેડબ્રહ્મા પી એસ આઈ આર.જે ચૌહાણ ની વિદાય અપાઈ હતી

ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના સાથી કર્મીઓએ માતાજીનો ફોટો તથા સાલ તેમજ નારિયેળ આપી શુકન કરાવ્યા હતા

ખેડબ્રહ્મા પીએસઆઇ આર જે ચૌહાણ ની બદલી જિલ્લા એસ.ઓ.જી હિંમતનગર ખાતે બદલી કરવામાં આવતા આજે તેમના વિદાય સમારંભ યોજીને ડીજેના તાલે વિદાય અપાવી હતી જ્યારે તલોદ પીએસઆઇ અર્જુન જોશીની ખેડબ્રહ્મા ખાતે બદલી થતાં તેઓ હાજર થયા હતા આ પ્રસંગે વિષ્ણુભાઈ પરેશભાઈ મનહરભાઈ પ્રકાશભાઈ ક્રિષ્નાબેન સહિત ખેડબ્રહ્માપોલીસ સ્ટેશનના તમામ પોલીસ કર્મીઓ અને ટીઆરબી સ્ટાફ તેમજ ખેડબ્રહ્મા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા
પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891







Total Users : 144652
Views Today : 