Wednesday, October 23, 2024

2 વર્ષે મળ્યો ન્યાય… જંત્રાખડી ગામે 8 વર્ષની માસૂમને પીંખીને હત્યા નીપજાવી દેનાર નરાધમને કોર્ટે સંભળાવી ફાંસીની સજા

2 વર્ષે મળ્યો ન્યાય… જંત્રાખડી ગામે 8 વર્ષની માસૂમને પીંખીને હત્યા નીપજાવી દેનાર નરાધમને કોર્ટે સંભળાવી ફાંસીની સજા

 

ગીર સોમનાથ જીલ્લો નિર્માણ થયો ત્યાર ની આ ફાંસીની સજા ની પ્રથમ ઘટના

 

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે બે વર્ષ પહેલા હચમચાવી દેનારી ઘટના બની હતી. જ્યાં આઠ વર્ષની કૂમળી વયની બાળકી સાથે આરોપી શામજી સોલંકીએ દુષ્કર્મ આચર્યું હતું. જે દરમિયાન બાળકીને મોતને ભેટી હતી. ઘટનાના બે વર્ષ બાદ કોડીનાર કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોડીનાર કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામે બે વર્ષ પહેલા 12-6-2022ના રોજ હચમચાવી દેનારી ઘટના બની હતી. જ્યાં આઠ વર્ષની કૂમળી વયની બાળકી સાથે આરોપી શામજી સોલંકીએ દુષ્કર્મ આચર્યું હતું. જે દરમિયાન બાળકીને મોતને ભેટી હતી. કૃત્ય બાદ નરાધમે બાળકીના મૃતદેહને ગામના ઝાંપાની બહાર અવાવરૂ જગ્યાએ ફેંકી દીધો હતો. ઘટનાને લઈને ગામ અને સમગ્ર પંથકમાં ઈસમ સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આ મામલે હવે બે વર્ષ બાદ કોડીનાર કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોડીનાર કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી છે.

શું હતી સમગ્ર ઘટના ?

કોડીનાર તાલુકાના જંત્રાખડી ગામના એક પરિવારમાં પતિ બહારગામ રહેતો હતો અને પત્ની મજૂરી કામ કરતી હતી. પરિવારની આઠ વર્ષીય બાળકીની માતા રામરોટી લેવા ગઇ હતી. ત્યારે સવારે 10 વાગ્યે પાડોશીએ બાળકીને ગામમાં સેવ લેવા માટે મોકલી હતી. રસ્તામાં શામજી ભીમા સોલંકીનું ઘર આવે છે. આથી શામજીએ પણ બાળકીને પૈસા આપી પોતાના માટે બીડી-બાકસ મંગાવ્યા હતા. બજારમાંથી આ બધી વસ્તુ લઈ બાળકી પરત ફરતી વખતે શામજીના ઘરમાં બીડી-બાકસ દેવા ગઇ હતી. શામજીએ વખતે પોતાના ઘરમાં એકલો જ હતો. 8 વર્ષની માસુમ બાળાને જોતાં તે હેવાન બની ગયો હતો. તેણે બાળકીને ઘરમાં ખેંચી જઇ દરવાજો બંધ કરી તેના પર દુષ્કર્મ આચર્યું હતું.

 

બાદમાં કોઈને જાણ ન થાય એ માટે તેની નિર્દયતાપૂર્વક હત્યા કરી લાશને કોથળામાં ભરી જંત્રાખડી 66 કેવી સામે પાળાની પાછળ અવાવરૂ જગ્યાએ ફેંકી દીધી હતી. પછી પોતે ઘેર જઇને નિરાંતે સુઇ ગયો હતો. બીજી તરફ બાળકીની માતા રામરોટી લઈ ઘેર આવ્યા. પણ પુત્રીને ન જોતાં તેમણે પાડોશીને ત્યાં તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, તેને સેવ લેવા મોકલી હતી પણ તે હજુ સુધી આવી નથી. આથી શોધખોળ શરૂ થતાં થોડીવારમાં જ ખબર પડી ગઈ હતી કે તેની લાશ 66 કેવી સામે પડી છે.

 

જાણવા મળ્યા મુજબ, નરાધમ શામજી માચ્છીમારીનો વ્યવસાય કરતો હતો. તે બે સંતાનોનો પિતા છે. પણ દારૂ પી ઘરમાં ધમાલ કરતો હોવાથી તેની પત્ની રિસામણે હતી. બનાવ અંગે ગામ લોકોએ કોડીનાર પોલીસમાં જાણ કરતાં કોડીનાર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બનાવની ગંભીરતાને લઇ એએસપી ઓમપ્રકાશ જાટ જાતે તપાસ માટે જંત્રાખડી દોડી ગયા હતા અને આરોપીને ઝડપી લીધો હતો.

 

પંચનામું કરી બાળકીના મૃતદેહને કોડીનાર પીએમ માટે લઈ જવાયો હતો. જ્યાં મામલાને ગંભીરતાને લઇ જામનગર ખાતે પેનલ પીએમ માટે મોકલી અપાયો હતો. પોલીસે એફએસએલને બોલાવી આરોપીના ઘરમાંથી પુરાવાનો નાશ ન થાય એ માટે તેને સીલ કરી દીધું હતું. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજા પણ જંત્રાખડી દોડી ગયા હતા.

 

નરાધમ શામજીને દાખલારૂપ સજા મળે એવી માંગણી ઉઠી હતી. આ બનાવને પગલે ગામલોકોમાં આરોપી પ્રત્યે ભારોભાર ધીક્કારની લાગણી છવાઇ ગઇ હતી. શામજીએ બાળકી પર દુષ્કર્મ આચરતી વખતે તે ચીસો ન પાડે એ માટે મોઢે ડૂમો દઇ દીધો હતો. આથી તેના મોઢામાંથી ઉલ્ટી અને કુદરતી હાજત થઇ ગઇ હોઇ ઘટનાસ્થળે જ તે મૃત્યુ પામી હોઇ શકી હોવાનું મનાઇ રહ્યું છે.

 

ગૃહ રાજ્યમંત્રી રચેલી સિટે 25દી’માં જ તપાસ પૂર્ણ કરી ચાર્જસીટ કરી દીધી તી

 

ગીર સોમનાથ જિલ્લાની કોડીનાર તાલુકાની 8 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના કિસ્સાની ગંભીરતાને ધ્યાને લઈને ગૃહ રાજ્યમંત્રીના આદેશથી એસપી મનોહરસિંહ જાડેજાએ ઉચ્ચ પોલીસ અધિકારીની બનેલી સીટની રચના કરી હતી. આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે એફએસએલની મદદ લઇ તમામ સાંયોગિક પુરાવા એકઠા કરી 25 દીવસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતા નરાધમને ફાંસીની સજા ફરમાવી છે.

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores