યાત્રાધામ શામળાજી મહોત્સવ 2024- 25 નો શુભારંભ કરાયો
અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજીમાં 2 દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો. રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત બે દિવસીય શામળાજી મહોત્સવનો પ્રથમ દિવસે પ્રારંભ કરાયો.

મહોત્સવમાં માનનીય અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીશ્રી ભિખુસિંહ પરમાર, જિલ્લા કલેક્ટરશ્રી પ્રશસ્તિ પરીક, જિલ્લા ન્યાયાધીશ આશા અંજારિયા, રાજય સાંસદશ્રી રમીલાબેન બારા, ભિલોડા ધારાસભ્યશ્રી પી.સી.બરંડા , બાયડ ધારાસભ્યશ્રી ધવલસિંહ ઝાલા, મોડાસા નગરપાલિકાના પ્રમુખશ્રી નીરજભાઈ શેઠ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ કેડિયા, નિવાસી અધિક કલેકટર શ્રી રાજેશ કુચારા , સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. ઉપરાંત શામળાજી મંદિરના પ્રતિનિધી રણવીરસિંહ ડાભી પણ ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર.અહેવાલ વિશાલ ચૌહાણ







Total Users : 160193
Views Today : 