(એક ભારત ન્યુઝ સંજય ગાંધી) સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ હિંમતનગર તથા ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે તારીખ 18 /1 /2025 ને શનિવારના રોજ માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થામાં મફત ડાયાબિટીસ તથા બીપી ચેકઅપના કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું જેમાં જીઆઇડીસી તેમજ મોતીપુરા વિસ્તાર ના સ્લમ વિસ્તારમાંથી કુલ ૧૫૦ દર્દીઓને તપાસ કરી કુલ દર્દીઓ પૈકીના 25 દર્દીઓને ડાયાબિટીસ આવેલ જે પ્રથમવાર ચેકઅપ કરાવ્યું અને ડાયાબિટીસ આવતો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું . ઉપરાંત 32જેટલા દર્દીઓને બ્લડપ્રેશર જરૂર કરતા વધુ હોય યોગ્ય સલાહ સૂચન આપવામાં આવ્યુ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ સદર કેમ્પમાં ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશનના ચેરમેન શ્રી ત્રિલોક ભાઈ પરીખ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા જેમા જયેશભાઈ પટેલ પ્રોગ્રામ મેનેજર સુમિતભાઈ પ્રજાપતિ તેમજ કેતનભાઇ સોનેરી દ્વારા તપાસ કરવામા આવેલ આ પ્રસંગે સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નાનુભાઈ પટેલ જશવંતલાલ શાહ ડોક્ટર વી એ ગોપલાણી ડોક્ટર મહેન્દ્રભાઈ સોની ડોક્ટર નટુભાઈ પટેલ હાજર રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન વહીવટી સંચાલક જીતુભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું