ખેડૂતોની સુખ-સમૃદ્ધિનું “પ્રતિક” એ જ સાચા અર્થમાં પ્રજાસત્તાક સ્થાપિત કરે છે
—-
ખેતીમાં નવો દ્રષ્ટિકોણ અપનાવતા વ્યારા તાલુકાના પ્રતિકભાઈ ચૌધરી
—-
બેન્કની નોકરી છોડીને પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવતા શ્રી ચૌધરી
—
એક એકરમાં ૩૫૦ સીડલેસ લીંબુના છોડ વાવીને સુનિશ્ચિત કરી ૫ લાખની મજબુત કમાણી
—
લીંબુના વિવિધ ઉત્પાદનો વેચીને શ્રી ચૌધરીએ વધુ નફો મેળવવાના નવા સ્ત્રોતોને સાકાર કર્યા
—
પ્રાકૃતિક ખેતીમાં સુપરફુડ સરગવો, કઠોળ, રીંગણ, ભીંડા, મરચા, ટામેટા સહિતના મિશ્રપાકોનો સમાવેશ
—
પ્રાકૃતિક ખેતીમાં સંઘર્ષથી સફળતા સુધીની યાત્રામાં સહભાગી બનતું “આત્મા પ્રોજેક્ટ”
—-
(એક ભારત ન્યુઝ સંજય ગાંધી),
તાપી જિલ્લામાં થનારી ૭૬ માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, આ ઉત્સવ રાષ્ટ્રીય એકતા અને સંકલ્પ છે, ત્યારે જિલ્લાના ખેડૂતો કૃષિ ક્ષેત્રમાં સફળતા હાંસલ કરી રહ્યાં છે. ખેડૂતોનું આ જ સુખ અને સમૃદ્ધિ સાચા અર્થમાં પ્રજાસત્તાક સ્થાપિત કરે છે. તાપી જિલ્લાના કેટલાંય ખેડૂતો પ્રાકૃતિક ખેતીને અપનાવીને આર્થિક સ્વતંત્રતા મેળવી રહ્યાં છે. એવામાં આજે વાત કરીએ વ્યારા તાલુકાના બેડકુવા દુરના ખેડૂત શ્રી પ્રતિકભાઈ ચૌધરીની..
ખેડૂતની સામાન્ય પરિભાષા એટલે કસોટી અને પરિશ્રમ.. એવામાં બેન્કની આરામદાયક અને મજબૂત નોકરી છોડીને શ્રી પ્રતિકભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના ભવિષ્યની સાથે સમાજ કલ્યાણનો અનોખો માર્ગ પસંદ કર્યો. બેન્કની નોકરીમાં મળતી આર્થિક સુરક્ષાનો પરિત્યાગ કરીને ખેતીની અનોખી દુનિયામાં પગ મુકતા ખેડૂત શ્રી ચૌધરીએ વર્ષ ૨૦૧૯ માં પ્રાકૃતિક ખેતી સાથે જોતરાયા.