>
Thursday, February 19, 2026

ઉના શહેરમાં જી ઇ. બી ગણેશ મંદિર રામનગર વિસ્તારમાં થી લામધાર ગામ ની ગાડા વટ રસ્તા પર ગાડા બાવળ જાડી ઝાંખરા ની જમાવટ થય ગય હતી

ઉના શહેરમાં જી ઇ. બી ગણેશ મંદિર રામનગર વિસ્તારમાં થી લામધાર ગામ ની ગાડા વટ રસ્તા પર ગાડા બાવળ જાડી ઝાંખરા ની જમાવટ થય ગય હતી આ કારણોસર ખેડૂતો તથા વાડી વિસ્તાર માં રહેણાંક ધરાવતા લોકો ને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો તેમજ નાના બાળકો ને શાળા એ આવવા જવા માટે પણ આ રસ્તો જંગલી જનાવરો ને કારણે જોખમી બની ગયો હતો

લામધાર ગામ ના તથા જી ઇ બી ગણેશ મંદિર રામનગર ના રહિશો તથા ખેડૂતો એ ઉના ના કાર્યદક્ષ ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ ને આ સંદર્ભે રજુઆત કરતા ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ એ આ ગાડાવટ રસ્તા ની મુલાકાત લીધી હતી અને સ્થળ ઉપરથી જ નગરપાલિકા ના સ્ટાફ ને સુચના આપતા નગરપાલિકા ના સ્ટાફ એ આ ગાડા વટ રસ્તા પર થી ઉગી નિકળેલા ગાંડા બાવળ તથા જાડી ઝાંખરા દુર કરી રસ્તો સાફ કરી ખેડુતો તથા રહિશો અને વિધ્યાર્થીઓ ની મુશ્કેલી નો અંત આવ્યો છે

આ રસ્તો સફાઇ થતાં આ વિસ્તારમાં વસતા લોકો ને હર્ષ ની લાગણી વ્યક્ત કરી હતી અને ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ નો આભાર માન્યો હતો અહેવાલ……રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores