અમદાવાદ રિવરફ્રન્ટ મેદાન ખાતે ભારત દેશ ના કર્ઝમુકત ભારત અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ.
તા.૩૧ બ્યુરો રિપોર્ટર કમલેશ સિંધી
આ કાર્યક્રમ ના મુખ્ય અગ્રણી,શાહનવાઝ ચૌધરી સાહેબ,રાજેશ્વર બ્રહ્મ ભટ્ટ અને લીગલ ટીમ સાથ સહકાર થી કરવામાં આવ્યો હતો
મુખ્ય મહેમાન તરીકે
શ્રી માનનીય પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાહેબ,ગુજરાત પ્રદેશ અધ્યક્ષ નારાયણભાઈ મકવાણા સાહેબ તેમજ અન્ય સમાજ સેવક માણસો એ સપોર્ટ કર્યો હતો.
ત્યાં ભારત દેશ ના અનેક રાજ્ય ના જે લોકો કોરોના ના કારણે , નોટબંધીના કારણે ,કોઈ પોતાના પરિવાર માં જે કમાવનાર વ્યક્તિ નું કોઈ બીમારી ધ્વારા યા તો કોઈ કારણસર મૃત્યુ થવાથી ઘર માં કોઈ કમાનાર ન હોય ,જેથી લોકો આત્મહત્યા કરવા પર મજબૂર હતા,અને લોકો ઘર પરિવાર છોડી દેતા હતા જેથી શાહનવાઝ ચૌધરી સાહેબ તરફથી સંસ્થા ચલાવવા માં આવી છે દેશ ના દેવા વાળા લોકો કોઈ ખરાબ પગલું ના ભરે જેથી આ અભિયાન ચલાવવા માં આવે છે,મોટો મોટા ઉદ્યોગપતિ ઓ ના કર્ઝ માફ થાય છે એમ ગરીબ લોકો ના પણ દેવા માફ થવા જોઈએ અને કોઈ પણ ગરીબ માણસ ડિપ્રેશન માં આવવાથી આત્મહત્યા ના કરવું જોઈએ
આ પ્રોગ્રામ માં અન્ય રાજ્યો માં થી દૂર દૂર થી લોકો આવ્યા હતા ગુજરાત,અમદાવાદ,સુરત,કર્ણાટક,બિહાર, યુ પી,આંધ્રપ્રદેશ,એમ પી,મુંબઈ,દિલ્હી, કેરાલા, ગોપાલગંજ દેવા થી પરેશાન લોકો એ દૂર દૂર થી પ્રોગ્રામ માં હાજરી આપી.


