*”સમાજની સમરસતાનું ઉતમ ઉદાહરણ એટલે સમૂહલગ્નો”*
આજરોજ ઉના તાલુકાના *વ્યાજપુર ગામે આહીર સમાજ* ની વાડીમાં *જય વિર મેહુરજી બાબર સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ સમસ્ત હિન્દુ બાબર સમાજ ઉના-ગીરગઢડા* દ્વારા આયોજીત *બીજા સમૂહ લગ્ન* સમારોહમાં *ઉનાના માનનીય ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડના પુત્રશ્રી રવિભાઈ રાઠોડ* તેમજ *ઉના નગરપાલિકાના પ્રમુખશ્રી પરેશભાઈ બાંભણીયા* ઉપસ્થિત રહ્યા હતા.
આ સમૂહલગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં પાડતા *”૧૩ નવદંપતીઓને”* સુખમય-મંગલમય જીવનના આશીર્વાદ આપ્યા હતા. સાથે સાથે ધારાસભ્ય શ્રી કાળુભાઇ રાઠોડ અન્ય કાર્યક્રમો વ્યસ્ત હોય એમના પ્રતિનિધિ તરીકે એમના નાના પુત્ર રવિભાઇ રાઠોડ ને ખાસ સંદેશ સાથે હાજરી આપવા મોકલાવેલ ધારાસભ્ય શ્રી એ પ્રભુતામાં પગલાં પાડતા દંપતી ઓને આશિર્વાદ આપ્યા હતા વ્યશન થી દુર રહેવા અપિલ કરી હતી સાથે સાથે દિકરી ઓ ને ભણતર ઉપર ભાર આપવા વિનંતી કરી હતી અને સમાજ માં સામાજિક સમરસતા જાળવવાની અપિલ કરી હતી તેમજ આ ઉમદા સામાજીક પરંપરાને *રવિભાઈ રાઠોડ એ બિરદાવી હતી.* આ સમૂહ લગ્ન સમારોહમાં *ઉનાના ધર્મપ્રેમી ધારાસભ્યશ્રી કાળુભાઈ રાઠોડ તરફથી “૧૧૦૦૦ હજાર” રૂપિયાનું અનુદાન આપવામાં આવ્યુ હતુ.* બ્યુરો રિપોર્ટ રમેશભાઇ વંશ ઉના







Total Users : 148772
Views Today : 