સાબરકાંઠા જિલ્લા કલેકટર તરીકે શ્રી લલિત નારાયણ સિંગ સંધુ એ ચાર્જ સંભાળ્યો
આજરોજ સાબરકાંઠા જિલ્લાના કલેકટર અને મેજિસ્ટ્રેટ તરીકે શ્રી લલિત નારાયણ સિંગ સંધુએ વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી લલિત નારાયણ સિંગ સંધુ 2015 ની કેડરના આઈએએસ (IAS) અધિકારી છે. મૂળ રાજસ્થાનના વતની એવા શ્રી લલિત નારાયણ B. E. PGDMની પદવી ધરાવે છે. આ પહેલા તેઓ સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર ખાતે સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતા હતા.
બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


