>
Friday, June 20, 2025

ઉના તાલુકાનું દેલવાડા ગામ એટલે ગંદકી થી ખદબદે છે 

ઉના તાલુકાનું દેલવાડા ગામ એટલે ગંદકી થી ખદબદે છે

ઉના તાલુકાના દેલવાડા ગામે સ્થાનિક પંચાયત ની ઘોર બેદરકારી સામે આવી છે દેલવાડા ગામ ને સરકાર દ્વારા સ્વચ્છતા ગ્રાન્ટ આપવામાં આવે છે તથા સફાઇ કામદારો પણ પંચાયત પાસે છે પરંતુ સ્થાનિક પંચાયત ના પદાધિકારી ઓ દ્રારા ગામ ના ચોક્કસ વિસ્તારોમાં જ સફાઇ કરાવવા મા આવે છે અને ગામ ના દરેક લોકો પાસે થી સફાઇ વેરો પણ લેવામાં આવે છે છતાં પણ પંચાયત દ્રારા માત્ર ચોક્કસ વિસ્તારોમાં જ સફાઇ કરાવવા મા આવે છે જ્યારે કેટલાંક વિસ્તારમાં વસતા લોકો પ્રત્યે ઓરમાયું વર્તન થતું હોય એમ દેલવાડા ગામ ના ચોક્કસ વિસ્તારોમાં સફાઇ કરવામાં આવતી નથી આ કારણોસર અમુક ચોક્કસ વિસ્તારોમાં ગંદકી ના ગંજ ખડકાયા હોય એવો ઘાટ સર્જાયો છે આમ આ પંચાયત ના પદાધિકારી ઓ દ્રારા ઓરમાયું વર્તન થતું હોય એવો ઘાટ સર્જાયો છે આ ગંદકી ને કારણે ભુંડ નો ત્રાસ વધતો જાય છે અને રોગચાળો ફેલાય એવી શક્યતાઓ છે જેથી કરીને આવા ગંદકી ના ગંજ દુર થાય એવી લોક માગણી ઉઠી છે

સરકાર દ્વારા સ્વચ્છતા મિશન હેઠળ આપવામાં આવતી ગ્રાન્ટ નો યોગ્ય રીતે ઉપયોગ થાય અને આવા ગંદકી ના ગંજ દુર થાય એવી લોક માગણી છે બ્યુરો રિપોર્ટ…. રમેશભાઇ વંશ ઉના

- Advertisement -
અન્ય સમાચાર
Advertisements
 
Polls
તાજા સમાચાર
Live Scores