રાધીવાડ માં વિદ્યાર્થીઓ તેમજ યુવાનો માટે જ્ઞાન કેન્દ્ર.
વાંચન, રોજગારી સરકારી યોજના, સ્પર્ધાત્મક પરીક્ષાઓ ઓ માર્ગદર્શન માટે સુચારુ આયોજન
ખેડબ્રહ્મા તાલુકા ના રાધીવાડ ગામ ખાતે વિધાર્થીઓ ના માટે એક અનોખું જ્ઞાન કેન્દ્ર નો પ્રારંભ થઈ રહ્યો છે
થોડો સમય પૂર્વે રાધીવાડ ગામના કેટલાક યુવક યુવતી ઓ રાજ્ય સરકાર ની કેટલીક સ્પર્ધાત્મક પરીક્ષા ઓ માં ખૂબ મહેનત કરવા છતાં થોડાક માર્કસ માટે પસંદગી માં વંચિત રહેતા ગામ ના યુવાનો ને વધુ સારું માર્ગ દર્શન મળે અને સફળતા મેળવે તે માટે મનોમંથન કર્યું હતું
ત્યારે આ જ્ઞાન કેન્દ્ર માટે મૂળ
રાધીવાડ ના નિવાસી હાલ લંડન ઈંગ્લેન્ડ. ખાતે રહેતા સ્વ. હરિભગવાન જોષી ના પુત્રો સર્વ શ્રી યોગેશભાઈ જોષી , મુંજાલ જોષી અને હેમંત જોષી તરફથી પોતાનું મકાન વિધાર્થીઓ , યુવાનો ના ઉત્કર્ષ હેતુ ઉપયોગ થાય તે માટે આતુર હતા ગામ ના યુવાનો એ તેઓનો સંપર્ક કરતા તેઓએ તુર્તતજ હા પાડીને જરૂરી સહાય ની લાગણી દર્શાવી હતી યુવાનો ને સારું વાંચન મળે નિષ્ણાંતો દ્વારા માર્ગ દર્શન મળે, અને સફળતા મેળવે તેવા ઉમદા હેતુ સાથે જ્ઞાન કેન્દ્ર સાકાર થાય તે માટે સહમતિ આપી હતી,
આ કેન્દ્ર ને આગળ ટીમ રાધીવાડ ના સર્વ શ્રી નિખિલેશ ઉપાધ્યાય ગુજરાત સરકાર ના પૂર્વ નાયબ માહિતી નિયામક શ્રી, નરેન્દ્ સિંહચૌહાણ સી.આર.સી, જયપાલ સિંહ ,પરમ સિંહ , રવિ પંચાલ, દિવ્યરાજ સિંહ સહિત શિક્ષકો
અને યુવાનો વિધાર્થીઓ ની એક ટીમદ્વારા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે
આ કેન્દ્ર માં વિધાર્થીઓ માટે વાંચન ખંડ , રાજ્ય સરકાર દ્વારા લેવાતી સ્પર્ધાત્મક પરીક્ષા માટે યુવક યુવતી માટે નિષ્ણાંતો બોલાવી વિશેષ ક્લાસ દ્વારા માર્ગ દર્શન અપાશે
આ ઉપરાંત રાજ્ય સરકાર ની જન સમુદાય ના કલ્યાણ માટેની યોજનાની જાણકારી ગ્રામજનો મળે, વિવિધ પોર્ટલ ની સેવા ની સમજ , મારી યોજના પોર્ટલ અન્ય પોર્ટલ ઉપર થી લાભ લઈ શકાય તેનું માર્ગદર્શન અપાશે
યુવાનો માટે રોજગારી માટે પણ માર્ગ દર્શન અપાશે
વાંચન માટે પુસ્તકો, અખબારો અને વિવિધ મેગેઝિન ની વ્યવસ્થા કરવામાં આવશે
આ જ્ઞાન કેન્દ્ર ઉભું કરવા માટે ગામ ના યુવાનો વિધાર્થીઓ દ્વારા પૂરો સહયોગ મળી રહ્યો છે
બ્યુરો રિપોર્ટ… વિશાલ ચૌહાણ સાબરકાંઠા
મો ન 9998340891


